Tuesday, April 6, 2010

અનામી

કયારેક હતાશ થઇ જવાય ત્યારે
          કોણ યાદ આવે ?
                  તું.

વિચારોનું તુમુલ યુદ્ધ જામે ત્યારે
            કોણ યાદ આવે ?
                  તું.

 તૂટ્યો ન તૂટે એવો કંટાળો આવે ત્યારે
            કોણ યાદ આવે ?
                  તું.

ઘનઘોર  મૂંઝવણ જન્મે ત્યારે 
            કોણ યાદ આવે ?
                  તું.

નિર્ણય  લેવો જ પડે એવી કટોકટી સર્જાય ત્યારે 
            કોણ યાદ આવે ?
                  તું.

અચાનક  મન એકલું જ પડી જાય ત્યારે 
            કોણ યાદ આવે ?
                  તું.

વ્યવહારિક  ધર્મસંકટની પળોમાં
            કોણ યાદ આવે ?
                  તું.

ગુસ્સે  થઇ ગયા પછી ઠંડી પડેલી ક્ષણોમાં
            કોણ યાદ આવે ?
                  તું.

જાણે  છે કેમ?

તું જ છે આ બધી પરિસ્થિતિનો ઉકેલ.

No comments: