કયારેક હતાશ થઇ જવાય ત્યારે
કોણ યાદ આવે ?
તું.
વિચારોનું તુમુલ યુદ્ધ જામે ત્યારે
કોણ યાદ આવે ?
તું.
તૂટ્યો ન તૂટે એવો કંટાળો આવે ત્યારે
કોણ યાદ આવે ?
તું.
ઘનઘોર મૂંઝવણ જન્મે ત્યારે
કોણ યાદ આવે ?
તું.
નિર્ણય લેવો જ પડે એવી કટોકટી સર્જાય ત્યારે
કોણ યાદ આવે ?
તું.
અચાનક મન એકલું જ પડી જાય ત્યારે
કોણ યાદ આવે ?
તું.
વ્યવહારિક ધર્મસંકટની પળોમાં
કોણ યાદ આવે ?
તું.
ગુસ્સે થઇ ગયા પછી ઠંડી પડેલી ક્ષણોમાં
કોણ યાદ આવે ?
તું.
જાણે છે કેમ?
તું જ છે આ બધી પરિસ્થિતિનો ઉકેલ.
No comments:
Post a Comment